મોરબીના સો ઓરડી વિસ્તારમાં અગમ્ય કારણોસર 40 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. અત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં વિસ્તારમાં રહેતા મનસુખભાઇ નાનજીભાઈ પરમાર ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.