ગોરખીજડીયા ગામે સિરામિક ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ લેતા શ્રમિકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે કારખાનામાં લેબર ક્વાર્ટર માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિકએ ગળે ફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે સી એસ પ્રિન્ટ નામના કારખાનામાં કામ કરી અહીંના જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રામસિંગ ઔતાર નામના શ્રમિકે લેબર રૂમમાં છતના પંખા સાથે ઇલેક્ટ્રિક વાયર બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.