મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા 36 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા માધવજીભાઈ વનજીભાઈ દંતેસરિયા ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેટુપો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.