ટંકારામા ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવવા સમગ્ર હિંદુ સમાજ એક નેજા હેઠળ ભવ્ય ઉજવણી કરશે.


આગામી તા. ૧૭ મી એ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સમગ્ર ટંકારા શહેરમા ધ્વજા પતાકા, બેનર અને રોશનીથી શણગારી અયોધ્યા નગરીમા પરીવર્તિત કરી દીધુ છે. તમામ હિંદુ ધર્મને માનનારા લોકો એક છજા હેઠળ એકઠા થઈ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજવાનુ આગોતરા નક્કી થયા મુજબ આયોજન કરાયુ છે.

ટંકારામા છેલ્લા બે વર્ષની માફક આ વખતે પણ બુધવારે દશરથ નંદન ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉજવવા માટે આગોતરા હિંદુ સમાજ ના ધાર્મિક લોકોની ઉત્સવ સમિતિ ની બેઠક મળી હતી.અને ઉજવણી કરવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની જાહેરાત થતા સમગ્ર શહેર ઘેલુ થયુ હોય એમ લોકોમા સ્વયંભૂ ઉત્સવ ઉજવવાનો હરખ વરતાઈ રહ્યો છે. ભગવાન શ્રી રામ નો જન્મદિવસ આગામી બુધવારે ચૈત્રી નોમ ના દિવસે હોવાથી પાંચેક દિવસથી શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો મુખ્ય માર્ગો ઉપર શ્રીરામ જન્મોત્સવ ઉજવવા ના બેનરો લગાવી અને દયાનંદ ચોક મા અયોધ્યા થીમ પર શ્રીરામ મંદિર ની પ્રતિકૃતિ સમો પંડાલ ઉભો કરી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે. આગામી તા.૧૭ મી એ શ્રીરામ ના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર યોજવામાં આવશે. રામલલ્લા નો જન્મોત્સવ ઉજવણી યાદગાર બનાવી ભવ્ય ઉજવણી કરવાનો સુર આયોજકો દ્વારા વ્યક્ત કરાયો હતો. જન્મોત્સવના પૂર્વ દિવસે વિશાળ બાઈક રેલી નુ આયોજન કરાયુ છે. પૂર્વ સંધ્યાએ દરેક ઘરોમા દિવડા પ્રગટાવી ઉજવણી ની ઝાંખી કરવામાં આવશે. દરેક ઘરોમા આસોપાલવ ના તોરણ બાંધવામા આવશે. અને ઉજવણી ની પૂર્વ રાત્રે દયાનંદ ચોક મા બહેનો માટે રામ રાસોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામા લોકો સ્વયંભૂ જોડાશે એવો માહોલ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રાનો પ્રારંભ લક્ષ્મીનારાયણ સોસાયટી થી થશે. જે મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા મેઈન રોડ થી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, ઘેટીયાવાસ, દેરાસર રોડ, લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા ઠંડાપીણા, સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે. અંતે, સમગ્ર શોભાયાત્રા મા જોડાનાર ભકત સમુદાય માટે આર્યસમાજ સ્મારક ભવનમા ફળાહાર ની વ્યવસ્થા કિરીટભાઈ અંદરપા પરીવાર દ્વારા કરવામાં આવી છે.