એનડીપીએસના ગુનામાં આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ ખિલોરીનો મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ) દવારા જામીન પર છુટકારો કરાવતા વકીલ દિલીપ અગેચાણીયા

Advertisement
Advertisement

એનડીપીએસના ગુનામાં આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ ખિલોરીનો મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ) દવારા જામીન પર છુટકારો.

મોરબી સીટી બી ડિવી. પોલીસ સ્ટેશનમાં આ ગુના ની ફરીયાદ એવી કે આ કામના આરોપીઓ પાસેથી પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજા તથા હીરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીંમત રુપીયા ૭,૪૮,૦૦૦ – નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્થાનથી લઈને આવીને પોતાની કબજા ભોગવટા વાળી જગ્યામાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે.તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીઓને મોરબી પોલીસે હાલના કામના આરોપીની અટક કરી મો૨બીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડ સાથે ૨જુ ક૨તા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય. જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ(દેવધરા સાહેબ) ની કોર્ટ માં જામીન અરજી દાખલ કરેલ.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને નામ. સુપ્રીમ કોર્ટ એ આપેલ જજમેન્ટ ‘સંજય ચાંદ્રા વિ. સી.બી.આઈ’ને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પ૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.