મોરબીના લખધીરનગર ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. ત્યારે આ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરનગર ગામે રહેતા રાહુલભાઈ જયંતીભાઈ દારોદરા ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે..