મોરબીના રફાળેશ્વર નજીક એક કારખાનાની સામેથી નીકળતા રેલવે ટ્રેક પર હડફેટે આવી જતા પરપ્રાંતિય શ્રમિક નું મોત નીપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ મિલેનિયમ કારખાના સામે રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે આવી જતા મૂળ બિહારના વતની અને હાલમાં હેમ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનનું ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.