વાંકાનેર ના જેતપરડા ગામે સિરામિક ફેક્ટરીના ઓરડીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે આવેલ સિરામિક ફેક્ટરીમાંની ઓરડીમાં રહેતા એક યુવાને આગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.વ.૧૯ વાળાએ તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ સીબેલા સીરામીકની ઓરડીનં -૯મા લોખડના પાઇપ સાથે દોરડા વડે પોતાની જાતે પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.