વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેક્ટરીમાં રહેતા મધ્યપ્રદેશના યુવાને તેના સાળાને આપેલ ઉછીના પૈસા પરત માંગતા પત્ની જોડે બોલાચાલી થયા બાદ પત્નીને લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના દિનેશભાઇ વર્માએ તેના સાળાને હાથ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા દિનેશભાઇને અને તેના પત્ની રાધાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ રાધાબેન દિનેશભાઇ વર્માને લાગી આવતા ખાટલની પાટી વડે પંખાના હુકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.