માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા 33 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઈ શિયાર ઉ.33 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.