ટંકારામા પુત્રના પ્રેમ સંબંધની શંકાએ પિતા ને માર પડ્યો.

Advertisement
Advertisement

ટંકારામા પ્રેમ સંબંધની શંકામા યુવકના પિતાને હાઈવે પર આંતરી બે ઈસમોએ માર મારી રીક્ષામા નુકસાન પહોંચાડયા અંગે ની ફરીયાદ ભોગ બનેલા આધેડે ટંકારા પોલીસમા નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભરવાડવાસ મા રહેતા નાગજીભાઈ ખેંગારભાઈ ટોળિયા નામના આધેડે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પોતે રીક્ષા ચલાવી પરીવારનુ લાલનપાલન કરે છે. રાબેતા મુજબ પોતે રીક્ષા નો ફેરો લઈ ને ટંંકારા થી નજીક ના સરાયા ગામે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા એ દરમિયાન હાઈવે પર પસાર થતી વખતે ટંકારાના હકાભાઈ મશરૂભાઈ ઝાપડા અને મુકેશ મશરૂ ઝાપડા નામના બંને ભાઈઓએ પોતાની કાર પ્રભુચરણ આશ્રમ પાસે હાઈવે પર આડી ઉભી રાખી રીક્ષા ઉભી રખાવી બંને ભાઈઓએ એક સંપ કરી રીક્ષામા આગળના ભાગે લોખંડ નો પાઈપ મારી કાચ ફોડી નાંખી આજે તને પતાવી જ દેવો છે કહીને ગાળો ભાંડવા લાગતા પોતે ગભરાઈ જઈ મારો વાંક શુ છે? પૂછતા ઉશ્કેરાઈને ફરીયાદી ને રીક્ષામાંથી બહાર ખેંચી માર મારવા લાગ્યા હતા. આ વખતે હુમલો થતા રાહદારીઓ અને વાહનચાલકો આવી જતા બંને ભાઈઓ આજે બચી ગયો છે.‌ પરંતુ હવે પછી મળીશ તો જાનથી પતાવી દેવા ની તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે ભોગ બનેલા નાગજીભાઈ ના દિકરા વિજયને હકાભાઈ દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હોવાના ખાર મા પુત્ર ના મુદ્દે પિતા ને ભોગ બનવુ પડયા ની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.