થોડા સમય પહેલા કાજલબેન હિન્દુસ્તાની નો એક વિડીયો વાયરલ થયો હતો જે બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારે આ બાબતે કાજલબેન હિન્દુસ્તાની પર મનોજ પનારા દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ દ્વારા આ તમામ આક્ષેપોને પાયા વિહોણા જણાવી મનોજ પનારા વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા માટે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.
ત્યારે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ દ્વારા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે,આજ રોજ માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ મોરબી જિલ્લા અધ્યક્ષ દ્રારા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી ગુજરાત રાજ્ય, ગ્રુહ રાજ્ય મંત્રીશ્રી, મોરબી જિલલા કલેક્ટરશ્રી, મોરબી જિલ્લા પોલિસ વડા શ્રી ને આવેદન આપવામા આવેલ કે મનોજ પનારા દ્વારા શ્રી કાજલબેન હિન્દુસ્થાની ઉપર જે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવેલ છે તે અંગે અમો આજરોજ આપ સાહેબ ને સદર આવેદન આપવાની ફરજ પડેલ છે મનોજ પનારા દ્વારા પોતાના રાજકીય રોટલા શેકવા ના એકમાત્ર બદઇરાદા થી શ્રી કાજલબેન હિન્દુસ્થાની ઉપર જે ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે તે અંગે જણાવવાનું કે, મનોજ પનારા દ્વારા પોતાનું પોલીટીકલ કેરીયર ચમકાવવા માટે શ્રી કાજલબેન હિન્દુસ્થાની નો દુસ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોઇ સન્માનનીય સ્ત્રી ઉપર આવા ખોટા અને પાયા વિહોણા આક્ષેપો કરી સરેઆમ બદનામ કરવામાં આવે તે એક તાલીબાની માનસિકતા ધરાવતુ કૃત્ય છે. તાલીબાનીઓ પણ આજ રીતે સ્ત્રી ને સરેઆમ બદનામ કરવા અને સ્ત્રી નું અપમાન કરવા માટે પુરા વિશ્વ માં પ્રસિધ્ધ છે. આપણા ભારત દેશમાં દરેક સ્ત્રીઓ ને સન્માન ની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને તેની સાથે સન્માન પૂર્વક વ્યવહાર કરવામાં આવે છે. જો આપણા સમાજમાં આવા મનોજ પનારા જેવા વ્યક્તિઓ ને અટકાવવામાં નહીં આવે તો આપણા ભારત દેશમાં પણ આ મનોજ પનારા જેવા તાલિબાની વિચારધારા વાળા લોકોને પ્રોત્સાહન મળશે.હિન્દુ સમાજ વિશે કે સનાતન ધર્મ વિશે આજદિન સુધી મનોજ પનારા એ શું કર્યું ??? કંઇ જ નહીં.. જ્યારે શ્રી કાજલબેન હિન્દુસ્થાની કે જે હિન્દુ સમાજ માટે હિન્દૂ રાષ્ટ્ર માટે પોતાના જીવ ની પરવાહ કર્યા વિના કાર્ય કરે છે. બીજા રાણી લક્ષ્મીબાઇ બની ને હિન્દુ સમાજ ની દિકરીઓને લવ-જેહાદ અને લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવા વિષયો ઉપર સમાજ ને જાગૃત કરે છે અને જેહાદી તત્વો થી જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. અને તે શ્રી કાજલબેન હિન્દુસ્થાની નો મોબાઇલ નંબર અને તેઓનું સરનામું સોશીયલ મિડિયા માં વાયરલ કરવામાં આવે છે તથા મનોજ પનારા એ ગુજરાત ફ્ર્સ્ટ ન્યૂઝ ના લાઇવ પ્લેટ્ફોર્મ ઉપર તેમની આંગણી કાપિ નાખવાની ધમકિ આપવામા આવે છે,ભડાકે દેવાની વાત પણ કરવામા આવે છે. જે મનોજ પનારા અને ભુપત ધમસાણીયા જેવા હિન્દુ વિરોધી વિચારધારા ધરાવતા લોકોની તાલિબાની માનસિકતા જ છતી કરે છે.જેથી અમો આજરોજ ન્યાય ની માંગણી સાથે આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે મનોજ પનારા અને ભુપત ધમસાણીયા વિરૂધ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને તેમના વિરૂધ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવે જેથી સમાજ માં એક દાખલો બેસે કે કોઇ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ ની રક્ષા કરતા હોય તેમની વિરૂધ્ધ તેમજ એક સન્માનનીય સ્ત્રી વિરૂધ્ધ ખોટા ષડયંત્ર રચવાનું પરિણામ શું આવે. જો આવા તાલિબાની માનસિકતા ધરાવતા મનોજ પનારા,ધનજી પટેલ,જે નંદાભાઇ ભુપત ધમસાણીયા અને જગદીશ નાડા વિરૂધ્ધ કાયદેસરનાં કોઇ પગલાં લેવામાં નહીં આવે તો આવી માનસિકતા ધરાવતા અન્ય લોકોને તેમજ હિન્દુ વિરોધીઓ વિધર્મીઓ ને પ્રોત્સાહન મળશે.