ટંકારા પોલીસે ખાખી લિબાસ પાછળ ધર્મ ની લાગણી ધબકી રહી હોવાનુ પ્રતિત કરાવ્યુ.


હિંદુ ધર્મમા ધૂળેટી પર્વે રંગે રમવાનુ મહત્વ છે. તેમા પણ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી પર્વે રંગે રમવા દ્વારકા મંદિરે હરી ભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે. હાલ હજારો પદયાત્રીઓ પગપાળા દ્વારકા ખાતે જઈ રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ પણ પગપાળા જતા આસ્થાળુ ઓની ભક્તિ ધર્મ પ્રત્યે ની લાગણી જોઈ હરીભક્તો ની સેવા કરી પોતાનો ધર્મ પ્રત્યે નો લગાવ વ્યક્ત કરવા અને હરીભક્તો ની સેવા થકી ભગવાન ની સેવા કરવા ના ભાવ થી ટંકારા શહેરના હાઈવે પર દયાનંદ ઓવરબ્રિજ ખાતે કેમ્પ યોજી પગપાળા જતા પદયાત્રીઓના ખભે ટીંગાતી બેગ અને વસ્ત્રો પર રેડીયમ સ્ટીકર લગાવવા ઉપરાંત, ધોમધખતા તડકામા ચાલતા જતા યાત્રિકોને રાહત આપવા ઠંડી છાસ વિતરણ કરી કર્મ સાથે ધર્મ કાર્ય થકી સરાહનીય કામગીરી કરી હતી.
આગામી દિવસોમા આવી રહેલા ધુળેટી પર્વ નિમિત્તે લાખો હરી ભક્તો પગપાળા યાત્રા કરી દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક થી ધમધમતા હાઈવે પર પસાર થતા પદયાત્રીઓ ની સુરક્ષા ને ધ્યાને લઈ ટંંકારા પોલીસ કર્મચારીઓએ પદયાત્રીકોના ખભે ટીંગાતી બેગની પાછળ તથા તેઓના વસ્ત્રો પર રેડીયમ સ્ટીકર લગાડી અકસ્માતથી બચવા માટેનો પ્રયાસ કરી કર્મ રૂપે ફરજ બજાવવાનો અભિગમ પૂર્ણ કર્યો હતો. પરંતુ સાથે જ પગપાળા જતા પદયાત્રીઓને ધોમધખતા તાપમા ચાલતા જોઈ ખાખીના લિબાસમા રહેલા
ટંકારા પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.જે. ધાંધલ અને પોલીસ સ્ટાફ ના પ્રવીણભાઈ મેવા, મયુરભાઈ ઝાંપડા, સોયબભાઈ, હોમગાર્ડ જવાન અરૂણ પરમાર, ગીરીશભાઈ પંડ્યા સહિત નાઓની ભિતર કર્મ સાથે માનવધર્મ ઉજાગર કરવાની લાગણી જન્મી હતી અને ભગવાન સુધી પોતાની ભક્તિ ની લાગણી ભક્તો ની સેવા થકી પહોંચાડવા દ્વારકા ધુળેટી પર્વ ઉજવવા માટે જતા હરી ભક્તો ને ઠંડી છાસ વિતરણ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ યથાર્થ ઠેરવી ખાખીધારીઓ એ પણ કર્મ સાથે ધર્મ બજાવી ઉમદા માનવધર્મ બજાવી કાયમ કરડાકી દાખવતી પોલીસ ના લિબાસ પાછળ લાગણી ધબકી રહ્યાની અનુભૂતિ કરાવી સરાહનીય સેવા ધર્મ બજાવ્યો હતો.