ટંકારા પોલીસે ખરા ટાઈમે ખંતથી કર્તવ્ય નિભાવ્યુ, પરીવાર થી આકસ્મિક રીતે અળગા થયેલા પુત્ર ને શોધવામાં સરહદ ની ખો આપવા ને બદલે આપ્તજન બની ખાખી ની શાન વધે એવી કાબિલેદાદ ફરજ બજાવી કર્મ સાથે ધર્મ ઉજાળ્યા..


ટંકારામા યોજાયેલ મહર્ષિ મહોત્સવ મા હરીયાણા થી આવેલા પરીવારનો મનોદિવ્યાંગ યુવાન રાજકોટ રેલ્વે સ્ટેશન થી વિખુટો પડી જતા વ્યાકુળ બનેલા પરદેશી પરીવારે ટંકારા પોલીસ પાસે પુત્ર ને શોધી આપવા ફોન થી મદદ માટે કાકલુદી કરતા કાયમ કરડાકી દાખવવા પંકાયેલી પોલીસ ના ખાખી લિબાસ ની ભિતર મા છુપાયેલુ કોમળ હ્યદય દ્વવી ઉઠયુ હતુ. અને માનવધર્મ બજાવી રાજકોટ પોલીસની મદદથી પરીવારથી વિખુટા પડેલા યુવાનને શોધી કાઢી મહેમાન નવાજી કરી પિતા ને સોંપતા જોજનો દુર થી આવેલો પરીવાર ગદગદીત થયો હતો.
તાજેતરમા ટંકારા ખાતે સંપન્ન થયેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ના ૨૦૦ મા જન્મોત્સવ કાર્યક્રમમા હરીયાણા રાજ્યના ગુડગાંવ થી જગદીશ નાનકચંદ આર્ય તેમના પત્ની શ્રૃતીબેન, પુત્ર યતિશ આર્ય સહિતના પરીવાર સાથે ટંકારા દયાનંદ સ્મરણોત્સવ જ્ઞાનોત્સવ સમારોહ મા ભાગ લેવા આવ્યા હતા. બાદ કાર્યક્રમ પૂર્ણ થતા ટંકારાથી રાજકોટ રેલ્વે માર્ગે રવાના થયા હતા. પરંતુ અચાનક ચોત્રીસ વર્ષ નો યુવાન પુત્ર મનોદિવ્યાંગ યતિશ ઓચિંતા ગુમ થઈ વિખુટો પડી ક્યાંક જતો રહેતા માતા પિતા બંને વ્યાકુળ થઈ પુત્ર ને શોધી રહ્યા હતા તેમ છતા ભાળ ન મળતા શ્રૃતિબેને ટંંકારા કાર્યક્રમ સ્થળે ટંકારા પોલીસે ઉભો કરેલો કંટ્રોલ રૂમમાં જાહેર કરેલા પો.સ.ઈન્સ્પેકટર એમ.જે.ધાધલ ના મોબાઈલ ફોનમા મધરાતે લગભગ દોઢ વાગ્યે સંપર્ક કરી મનોદિવ્યાંગ યુવાન પુત્ર ને શોધી આપવા કાકલુદી ભરી ભાષા મા મદદ નો પોકાર કરતા ટંંકારાના ફોજદાર ધાંધલ નુ હ્યદય મા ના આર્તનાદ થી દ્વવી ઉઠ્યુ હતુ. અને ફરીયાદ નોંધી તબદીલ કરવાના ચકર મા પડવાને બદલે માનવધર્મ ને આગળ ધરી પળનોય વિલંબ કર્યા વગર રાજકોટ પોલીસનો સંપર્ક કરી તેની મદદથી પરીવાર થી વિખુટા પડેલા યુવક ને શોધી ટંંકારા પોલીસ થાણે લાવી ગુડગાંવ રવાના થયેલા માતા પિતા ને પુત્ર સલામત હોવાની અને પોલીસની પનાહ મા કુશળ હોવાની જાણ કરી હતી. એ દરમિયાન અજનબી યતિશ ની ટંકારા પોલીસ મથકે પીએસઆઈ ધાંધલ ઉપરાંત, પીએસઆઈ પી.એલ.સેડા, સાહિદભાઈ સિદીકી, સાલેમામદભાઈ, હોમ ગાર્ડ ના અરૂણ પરમાર સહિતનાઓએ અસલ કાઠીયાવાડી મહેમાન નવાજી કરી પોલીસ થાણા મા પોતિકાપણા ની લાગણી સાથે પનાહ સાથે પ્રેમ આપી સાચવ્યો હતો. પોતાના વહાલસોયા પુત્ર ને પરત લેવા આવેલા પિતા જગદીશ આર્ય ની આંખો પુત્ર ને હુંફ આપનાર પોલીસ ની લાગણી થી રીતસર ભીની થઈ ગઈ હતી અને ગદગદીત થયા બાદ તેઓએ લોક માનસમા ખાખી લિબાસ કાયમ કરડાકી દાખવવા પંકાયેલી હોવાનુ લેબલ છે.પરંતુ એ ખાખી વસ્ત્ર પાછળ સુંવાળુ હ્યદય પણ ધબકે છે. એ જોઈને દયાનંદ નગરી મા ફરજ બજાવતા પોલીસ ને પણ વંદન કર્યા હતા.