મોરબી: ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલા પોલીસકર્મી સહિત છ આરોપીઓનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

મોરબી વીરપરડા ગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પકડાયેલ આરોપીઓમાં ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજા, નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરી અને રાજેશ રામજીભાઈ મારવાણીયાની ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાંથી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજા નાઓના રિમાન્ડ માંગવામાં આવેલ હતા અને નામદાર અદાલતે ઉપરોકત ત્રણ આરોપીઓના તારીખ 8/2/2024 સુધીના રીમાન્ડ મંજુર કરેલ અને આરોપીઓ નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરી નાઓની જામીન અરજી નામદાર અદાલતમાં દાખલ કરેલ જે જામીન અરજી નામદાર અદાલતે મંજુર કરેલ ત્યારબાદ આરોપીઓ ભરતભાઈ પરબતભાઈ કાળાભાઈ મયાત્રા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા અને શક્તિસિંહ માધુભા જાડેજા રીમાન્ડ પુરા થતા આપ નામદાર અદાલતમાં રજુ કરેલ અને તેઓની જામીન અરજી નામદાર અદાલતમાં દાખલ કરેલ અને નામદાર અદાલતે પોલીસ કર્મચારી સહીત ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ છે. જેમાં આરોપીના વકીલ તરીકે ગોપાલભાઈ ઓઝા તથાતથા કુ. મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.