મોરબીના સામાકાંઠે ત્રાજપરમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા રહે. સામાકાઠે ત્રાજપર વાળાએ પોતાના ઘરે ફળીયામાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.