ગુજરાત સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે બદલીના ઘાણવા કાઢવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓના બદલી હુકમ કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પ્રાંત અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર જામનગર રૂરલ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાની નિમણુંક કરવામાં આવી છે.