અયોધ્યામાં શ્રીરામ ભગવાનના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી અને જોરદાર આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના કૈલાસ એપાર્ટમેન્ટમાં પણ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ સાથે જ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શ્રીરામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, રાષ્ટ્રગીત, બાળકો દ્વારા વિવિધ ડાન્સ અને ખાસ નંદ ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપાર્ટમેન્ટના લોકોએ પણ ખુબ ઉત્સાહથી ધામધૂમથી ઉજવણી કરી હતી. આ સાથે જ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં રવિભાઈ હિરાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.