મોરબી: પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું અનેરું ઉદાહરણ: સરકારી શાળાના આચાર્યએ એવોર્ડની રકમ શાળાના રિનોવેશનમાં વાપરી

Advertisement
Advertisement

 

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઘણી શાળાઓમાં ઉજવણી અંતર્ગત ડેકોરેશન સહિત ખર્ચ થતા હોય છે. પરંતુ મોરબીની સભારાવાળી પ્રાથમિક શાળાના આચાર્યએ ખર્ચ કરવાના બદલે તેમને મળેલા રોકડ પૂરસ્કારના 35 હજાર રૂપિયા શાળાના રિનોવેશન પાછળ વાપરી દાખલો બેસાડ્યો હતો. પ્રજાસત્તાક પર્વ પર કાર્યક્રમમાં આવેલા વાલીઓ વરસી પડ્યા હતા. અને 65 હજારથી વધુ રકમનો ફાળો આપ્યો હતો. મોરબીની સભારાવાડી શાળામાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 300 જેટલા વાલીઓએ હાજરી આપી હતી. અને શાળાના રિનોવેશનમા દાતાઓના ફાળાની સાથે વાલીઓએ પણ 65000 રૂપિયા જેટલો લોકફાળો આપ્યો હતો. આ તમામ ફાળો શાળા વિકાસમાં વાપરવામાં આવશે. વાલીઓ હંમેશા શાળાને મદદરૂપ થતાં રહે છે. એક ઉત્તમ ઉદાહરણ આજે સભારાવાડી દ્વારા અન્યને પણ પ્રેરણાદાયી બની રહેશે.

આ તકે શાળાના આચાર્ય વિજય દલસાણીયાએ પણ પોતાના મળેલા એવોર્ડમાંથી 35000 જેટલી રકમ શાળાને દાન આપી રિનોવેશનમા વાપરી હતી. આ શાળાને વાલીઓ મારફત આર્થિકદાન, શ્રમદાન, સમય દાન કરીને અનેક રીતે બાળકોના વાલીઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સાથે ગોવિંદભાઈ પરમાર દ્વારા સમગ્ર વાડીનાં ઘરે ઘરે એક રામયાણ આપવામાં આવી હતી.

આ તકે શાળાના રિનોવેશનમા કાયમી દાતાઓ મૂળજીભાઈ પરમાર, અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ ડાભી, લાલજીભાઈ કંઝારીયા, ગોવિંદભાઈ પરમાર, નરશીભાઇ પરમાર, ગોરધનભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, ભુરાબાપા તથા આજે લોકફાળો આપનાર તમામ વાલીઓ, એસ.એમ.સી.ના અધ્યક્ષ, તમામ સભ્યો, શાળાના તમામ સ્ટાફનો પણ એટલો જ સહયોગ હોય, તેમના તરફથી પણ એક અથવા બીજી રીતે અનુદાન મળ્યું છે. આ તમામનો શાળાના આચાર્ય વિજયભાઈ દલસાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.