વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી મંજુર રાખતા જામીન પર છુટકારો થવા પામ્યો છે
વાંકાનેર સીટી પોલીસે આરોપી અરૂણાબેન મનસુખભાઈ ગોરિયા રહે જાલી ગામ તા. વાંકાનેર વાળાને હત્યાના ગુનામાં અટક કરી નીચલી અદાલતમાં રજુ કરી બાદમાં ચાર્જશીટ નીચલી અદાલતમાં રજુ કરી હતી જે મહિલા આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી જે જામીન અરજીમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) રોકાયેલ હતા અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો રજુ કરી હતી. જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી એ બુદ્ધ સાહેબે આરોપી અરૂણાબેન ગોરિયાને રૂ ૨૫ હજારના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જે કેસમાં આરોપી અરુણાબેન ગોરિયાના વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ) તેમજ મેનાઝ એ પરમાર રોકાયેલ હતા.