મોરબીનાં શોભેશ્વર રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લઈ જતા ફરજ પરના તબીબે એ સારવારમાં લાવતા તપાસ કરતાં મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.