વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના યુવા અગ્રણીની દીકરી પ્રિશાએ તુલસીજીની પૂજા તેમજ દિવસભર ધાર્મિક કાર્યો કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો

Advertisement
Advertisement

 

HAPPY BIRTHDAY PRISHA 
પિતા પ્રિયંક રાવલ દેવાધિદેવ મહાદેવ શ્રી જડેશ્વર મહાદેવ મા અનન્ય અખૂટ શ્રદ્ધા ધરાવે છે ત્યારે પ્રીશાએ પણ આજના દિવસે જડેશ્વર મહાદેવ ના દર્શન તથા અભિષેક કરી જન્મ દિવસને સાર્થક બનાવ્યો છે
વાંકાનેર : જન્મ દિવસ નાના બાળકનો હોય કે યુવાનનો હોય જન્મદિવસની ઉજવણી માટે અગાઉથી જ કરી આખા દિવસનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી કરી લેવામાં આવે છે જેમાં ખાસ કરીને હોટેલમાં જમવાનું , જેમાં આરોગ્ય બગાડે તેવું બેકરી તથા પંજાબિ, ચાઇનીસ જેવી પેટ ખરાબ કરે તેવી ખાદ્ય પદાર્થોનું સેવન કરી આખો પિકચર જોવામાં તેમજ હરવા ફરવાનું આયોજન કરવામાં આવે છે પરંતુ પ્રિશા રાવલે બીજા કોઈ ફાલતુ ખર્ચ કે હરવા ફરવામા નહિ પરંતુ સવારથી જ ધાર્મિક કાર્યો સાથે દિવસની શરૂઆત કરી હતી.
સવારે પ્રથમ તુલસીજીની પૂજા કરી શિવાલયમાં દર્શન સાથે ઘરે દાદા , દાદી , માતા , પિતાનાં આશીર્વાદ લીધા હતા. આમ મોરના ઈંડા ને ચીતરવા ન પડે તે કહેવતને સાર્થક કરી પિતા પ્રિયંક રાવલની ધાર્મિકતા દીકરીમાં જોવા મળી છે. સાથે જ પ્રીશાએ તેની બહેનપણીઓને પણ જન્મ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાની શીખ આપી સમાજને એક સારો મેસેજ પણ આપેલ છે.