મોરબી નવલખી રોડ યમુનાનગરમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ-11 સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. યમુનાનગર શેરી નંબર-4માં રહેતા આંનદભાઈ ઉર્ફે લાલાભાઈ દામોદરભાઈ રાયગગલાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ-11 કિંમત રૂપિયા 1100ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.