ગુજરાત સરકાર સબસીડીનું ૧૨ વર્ષ પહેલા નક્કી થયેલ ધોરણ સુધારી વધુ ઉદાર સહાય સબસીડી આપે તે અનિવાર્ય છે – ટ્રસ્ટીઓ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા

Advertisement
Advertisement

 

 

વાંકાનેરમાં છેલ્લા ૧૭૧ વર્ષથી કાર્યરત પાંજરાપોળ અને ગૌશાળા ૧૦૦૦ થી વધુ ગૌવંશ નિભાવ ભગીરથ કાર્યમાં દાતાઓને દાન આપવા ટ્રસ્ટીઓની અપીલ

બાર વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ ને પશુધનદીઠ ૨૫ રૂપિયા સબસિડી આપવામાં આવતી જે આજે માત્ર ૩૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે ત્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આજે પશુધનદીઠ ૭૦ થી ૯૦ રૂપિયા ખર્ચ થાય છે.

વાંકાનેર : ગૌવંશસેવા, જીવદયા અને પશુરક્ષાને વરેલા સેવાભાવી વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના ગૌસેવકો દ્વારા અવિરત દાનની સરવાણી વહાવી ગૌ સેવાનો યજ્ઞ હંમેશા માટે જીવંત રાખે છે. વાંકાનેર શહેર તાલુકાનાં વિવિધ સેવાકીય સંસ્થાઓ , ગૌ સેવક મંડળો દ્વારા દર વર્ષે મક્કર સંક્રાંતિ પર્વે વાંકાનેર , રાજકોટ , જામનગર વગેરે શહેરોમાં વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા માટે દાન એકત્ર કરવા પંડાલ બનાવી દિવસભર સેવા યજ્ઞ કરે છે.

ચાલુવર્ષે કપરી પરિસ્થિતિ હોવાથી ગુજરાત સરકારે ૧ પશુધનદીઠ રૂા. ૩૦ સબસીડી આપવા નિર્ણય કર્યો છે તેને મહાજનોએ બિરદાવી છે પરંતુ બાર વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ ને પશુધન દીઠ ૨૫ રૂપિયા સબસિડી મળતી હતી તે આજે પણ માત્ર ૩૦ રૂપિયા જ મળે છે. પરંતુ અસહ્ય મોંઘવારીને કારણે આજે પશુદીઠ રૂા. ૭૦ થી ૯૦ નો દૈનિક ખર્ચ જોતાં ગુજરાત સરકાર સબસીડીનું ૧૨ વર્ષ પહેલા નક્કી થયેલ ધોરણ સુધારી વધુ ઉદાર સહાય સબસીડી આપે તે અનિવાર્ય છે.

ગુજરાત સકરારના ગોબર બેંક બનાવવાના નિર્ણયને વહેલી તકે અમલી બનાવી પાંજરાપોળો ગૌશાળાઓના ગૌમુત્ર-ગોબર ખરીદાય તો આર્થિક રીતે પાંજરાપોળો સ્વનિર્ભર બની શકે તેમ છે.

આ મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર પાંજરાપોળની ૯૫૮ ગાયોના નિભાવ માટે ઉદાર હાથે દાન વહાવવા અપીલ કરવામાં આવે સાથે વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિક પાંજરાપોળ ની એક ગાયને દતક લઈ ગાયનો નિભાવ ખર્ચ ઉઠાવે તેવી અપીલ સાથે ૧૦૧ ગૌવંશ ને દતક લેવાનો નિર્ણય લેવામાં આવેલ.

પ્રજ્ઞેશભાઈ પટેલે – પાંજરાપોળ ટ્રસ્ટી

પાંજરાપોળના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મેહતાએ પાંજરાપોળમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતીઓ વિશે વિગતવાર વર્ણન કરી મોંઘવારીના મારથી ગાયોના નિભાવ ખર્ચમાં ધળખમ વધારો થવાથી હાલ પાંજરાપોળ ઉપર અંદાજે ૬૦ લાખનું દેવું છે જેમાંથી બહાર નીકળવા દાતાઓએ છૂટા હાથે દાનની સરવાણી વહેડાવવા અપીલ કરી હતી.