વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલા કેમરાન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.