વાંકાનેર એસટી બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી વિભાગના વિવિધ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ તકે રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજાના માર્ગદર્શન અને નાથાણી વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગ આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૫૧ બોટલ બ્લડ રક્ત એકત્ર થયું હતું, જેમાં એસ.ટીના સફાઈ કર્મચારી, એપ્રેન્ટિસ, કંડકટર, ડ્રાઈવર, એ. ડી. એમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.