મોરબી નાની કેનાલ પંચાસર રોડ સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસમાં ત્રણ માળની બિલ્ડિંગ ઉપરથી લોખંડનો સળિયો માથા ઉપર પડત ગંભીર ઈજા પહોંચતા સગીરનુ મોત નિપજ્યું હતું. સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસમાં ત્રણ માળની બિલ્ડિંગ ઉપરથી નીચે શેરીમાં લોખંડનો સળિયો આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.