વાંકાનેર: અયોધ્યાથી આવેલી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

Advertisement
Advertisement

વાંકાનેર: શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલ વાંકાનેર નીલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષત કુંભ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પૂજન અને દર્શન માટે પધરામણી કરવામાં આવી હતી. આ અવસરે ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો તથા નાની બાળાઓએ બાપુના બાવલા પાસેથી અક્ષત કળશના સામૈયા કરી વાજતે ગાજતે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશની શ્રી રામજી ભગવાનના ગર્ભગૃહમાં પધરામણી કરવામા આવી હતી. ત્યારબાદ સૌ ભાવિભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. સૌ ભક્તજનોમાં આવનારી તારીખ ૨૨-૦૧-૨૦૨૪ના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ભવ્યાતિભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને અદકેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.