મોરબીના ત્રાજપર ખારીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું છે. રવિભાઈ પરષોતમભાઈ રાઠોડ ઉ.વ.૩૪ રહે. ત્રાજપર ખારી રામકુવા વારી શેરી મોરબીવાળા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.